Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મેહુલનગરના પટેલ યુવાન નિરજ વેકરીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ નિલકંઠ ટોકિઝ પાછળ મેહુલનગર-૧માં રહેતો નિરજ કિશોરભાઇ વેકરીયા (ઉ.૨૮) નામનો લેઉવા પટેલ યુવાન સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિરજ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે વર્ષોથી માનસિક બિમાર હતો. તેના પિતા છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:14 pm IST)