Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કોઠારીયા રોડ પર વર્ષો જુનો ચબુતરો તોડી પડાતાં જીવદયા પ્રેમીઓમાં રોષ

રાજકોટઃ હજુ થોડા દિવસો અગાઉ કાલાવડ રોડ વિસ્તારમાં તંત્ર ધારકોએ ચબુતરો તોડી પાડયાની ઘટનાનો વિવાદ યથાવત છે ત્યાંજ આજે કોઠારીયા રોડ પર દેવપરા પાસે ૪૦ વર્ષોથી શાંતિદૂત કબૂતરોનાં દાણા-પાણી અને નિવાસસ્થાન બનેલાં ચબુતરો મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકોને નડતરરૂપ બન્યો અને આજે આ વર્ષો જૂનાં ચબુતરા ઉપર બુલડોઝર ફેરવી દેતાં નિર્દોષ પારેવડાનાં દાણા-પાણી અને નિવાસસ્થાનો છિનવાઇ ગયા હતાં. આ બાબતે જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ હતી અને સ્થળ પર લોકોનાં ટોળા એકત્રીત થયા હતાં. જે તસ્વીરમાં દર્શાય છે. (૭.૩૮)

 

(4:10 pm IST)