Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અનિલ જ્ઞાન મંદિરે સાંસ્કૃતિક કાર્યક્રમો

 રાજકોટ : સરગમ કલબ સંચાલિત માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી અનિલ જ્ઞાન મંદિર તથા શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કુલમાં સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ પટેલના હસ્તે કરાયુ હતું. પ્રવિણભાઈ જોષી, નીલુબેન મહેતા, ભરતભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધો.૧૨ના વિદ્યાર્થી ભાઈ - બહેનો દ્વારા ચંદ્રશેખર આઝાદની જીવનકથા વર્ણવતુ એક નાટક રજુ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને સ્કુલના પ્રિન્સીપાલ છાંયાબેન દવેના માર્ગદર્શન હેઠળ રૂપલબેન વોરા, શિલ્પાબેન લોખીલ, આરતીબેન શુકલ, આશાબેન વ્યાસ, શીતલબેન ડાંગર, બંસીબેન જોષી, અમીબેન ધોળકીયા, રમાબેન પરમાર સહિતના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૧)

(3:58 pm IST)