Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મનપા કચેરીમાં ડો.આંબેડકરજીનું તૈલી ચિત્ર નહિ મુકાય તો ઉપવાસઃ કોંગ્રેસની ચિમકી

રાજકોટ : શહેરના ઢેબર રોડ પર આવેલ મનપાનો સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સિવિક સેન્ટરની દિવાલ આપેલ છે ત્યાં ગ્રેનાઇટ મારબલનું બોકસ બનાવી ડો.આંબેડકર સાહેબનું તૈલી ચિત્ર મુકવાની દરખાસ્ત ૧૮ એપ્રિલ-ર૦૧૭માં યોજાયેલ.જનરલ બોર્ડમાં મજુર થયેલ હોવા છતા આજ સુધી ડો. આંબેડકરજીનું તૈલી ચિત્ર મુકવામાં નહી આવતા પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા તથા કોંગ્રેસના એસ.સી. વિભાગના ચેરમેન નરેશ સાગઠીયા સહિતના આગેવાનોએ મ્યુ. કમિશ્નર અમિત અરોરા અને મેયર પ્રદિપ ડવને પત્ર પાઠવી તા.રપ અને ર૬ જુલાઇના ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:48 pm IST)