Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નાણાવટી ચોકમાં આકાશ રાઠોડની હત્યામાં ત્રણ શખ્સો સકંજામાં

રાજકોટ તા. ર૦ : ગાંધીગ્રામ નાણાવટી ચોક જાસલ કોમ્પ્લેક્ષ પાસે વાહન અથડાવા પ્રશ્ને ભીલ યુવાને ચાર શખ્સો એ છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સોને સંકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છ.ે

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ હનુમાનમઢી પાસ ેશિવપરા શેરી નં. રમાં રહેતો આકાશ ભગવાનભાઇ રાઠોડ (ઉ.ર૮) ગુરૂવારે રાત્રે તેના મિત્રો ધીરેન અને આકાશ નાણાવટી ચોક જાસલ કોમ્પ્લેક્ષની સામે ડિલકસ પાન નામની દુકાને ફાંકી ખાવા ગયા હતા આ વખતે કોમ્પ્લેક્ષમાં આવેલ એરટેલની ઓફીસ પાસે આકાશ અને સદામ ઉભા હતા. ત્યારે શેહઝાદ ઉર્ફે નવાબ અને વિનય ડબલ સવારીમાં એકટીવામાં આવ્યા હતાઅ ને તેનુ એકટીવા આકાશ સાથે અથડાતા તે પડી ગયો હતો. આ બાબતે ઝઘડો થતા સહેઝાદ ઉર્ફે નવાબ, ફેઝલ, અંકીત અને વિનય આવી ઝઘડો કરી આકાશને મારમારી ફેઝલ અને વિજયે ઉશ્કેરાઇ જઇ આકાશને છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદ આકાશને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ ંગે ગાંધીગ્રામ પોલીસે ભોગબનનાર આકાશના ભાઇ આશીષની ફરીયાદ પરથી ચારેય શખ્સો વિરૂદ્ધ હત્યા અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસટીએસસી સેલના એસીપી એસ.ડી.પટેલ તથા રાઇટર જે.પી.મહેતાએ તપાસ હાથ ધરી છે આ બનાવમાં ત્રણ શખ્સોને સકંજામાં લઇ તપાસ આદરી છ.ે

(3:58 pm IST)