Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રવજીભાઈ થાનીયાના સ્મરણાર્થે

કાલે સંતવાણીઃ બિરજુ બારોટ, જનક વેગડ, દેવદાન ગઢવી જમાવટ કરશે

રાજકોટ,તા.૨૦: સ્વ.રવજીભાઈ નરશીભાઈ થાનીયાના સ્મરણાર્થે સંતવાણીનો કાર્યક્રમ થાનીયા પરિવાર આયોજિત સંતવાણીના કલાકારો પોતાના આગવા અંદાજમાં તા.૨૧ને રવિવારે રાત્રે ૯ કલાકે મનહર સોસાયટી, આર.ટી.ઓ.ઓફીસની બાજુમાં, લાખાભાઈ આહીર ચોક, રાજકોટ ખાતે કાર્યક્રમ રજુ કરશે.કાર્યક્રમમાં કલાકારો બિરજુભાઈ બારોટ, જનકભાઈ વેગડ, દેવદાનભાઈ ગવી જમાવટ કરશે. સંતવાણીનો લાભ લેવા દેવીપૂજક સમાજના નરેશભાઈ મોહનભાઈ મકવાણા (મો.૯૮૯૮૭ ૯૭૨૭૦)એ ખાસ અપીલ કરેલ છે.

(2:35 pm IST)