Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે એકેય મોત નથી

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 1 પૈકી એક પણ કોવીડ ડેથ નહિં

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકેય મોત નથી

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .19નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.20 સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના એક પણ દર્દીઓના મોત નથી થયા.

ગઇકાલે 1 પૈકી એકપણ મૃત્યુ કોરોનાને કારણે ન થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 5766 બેડ ઉપલબ્ધ છે.

(7:02 pm IST)