Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જંગલેશ્વરના રામદયાલને મિત્ર મુકેશે પહેલા જમાડ્યો પછી છરી ઝીંકી દીધી

ગાળો દેવા બાબતે માથાકુટ થતાં હુમલો કર્યાનું કથન

રાજકોટ તા. ૨૦: જંગલેશ્વર ભીમરાવ ચોકમાં રહેતાં રામદયાલ તિલકરામ વૃજવાસી (ઉ.૩૫) નામના મુળ યુપીના યુવાનને રાત્રે સાડા દસેક વાગ્યે ઘર નજીક ચોકમાં હતો ત્યારે તેના જ મિત્ર મુકેશ ભૈયાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરે હોસ્પિટલે પહોંચી રામદયાલની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે. રામદયાલના કહેવા મુજબ પોતે છુટક મજૂરી કરે છે. રાત્રે સોરઠીયાવાડી બગીચા પાસે હતો ત્યારે મિત્ર મુકેશ જમવા માટે લઇ ગયો હતો. એ પછી જંગલેશ્વર ભીમરાવ ચોકમાં પહોંચ્યા ત્યારે મુકેશે ગાળો દેતાં ના પાડતાં છરીથી હુમલો કરી ભાગી ગયો હતો.

(11:30 am IST)