Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બીએપીએસ દ્વારા વસ્ત્રદાન

 પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પૂજય મહંતસ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના 'બીજાના ભલામાં આપણું ભલું'ની દ્રઢતા સાથે શહેરના અનેકવિધ વિસ્તારોની અંદર બી.એ.પી.એસ.ના કાર્યકરોએ વસ્ત્રવિતરણ કરી સદ્દભાવનું કાર્ય કર્યું હતું. બીએપીએસના તમામ હરિભકતો પોતાના વસ્ત્રોને એકત્રિત કરી, વ્યવસ્થિત સાફ કરી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડીને વિરાટ વસ્ત્રદાન અભિયાનમાં જોડાયા હતા. કુલ રપ૦૦૦ થી અધિક વસ્ત્રો એકત્ર કરી ગરીબ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને તેનું દાન કરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાનમાં ૧પ૦થી અધિક કાર્યકરો જોડાયા હતા. વસ્ત્રદાનની સાથે સૌને વ્યસનમુકિતનો સંદેશો, પારિવારિક એકતાનો સંદેશો અને સદાચારી જીવન જીવવાનો રાહ ચીંધવામાં આવ્યો હતો. (૭.૩૦)

 

(4:15 pm IST)