Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સારવાર માટે રાજકોટ આવેલા ઓરિસ્સાના મહિલાનું મોત

રાજકોટ તા. ૨૦: ઓરિસ્સાથી રાજકોટ સારવાર માટે આવેલા મહિલાનું બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.

ઓરિસ્સા રહેતાં હરિપ્રિયાબેન શંકરપ્રસાદ નાયક (ઉ.૫૫)ને લિવરની બિમારી હોઇ સારવાર માટે રાજકોટ જમાઇના ઘરે આવ્યા હતાં અને આત્મીય કોલેજ પાછળ આવેલા એરા હોસ્ટેલ ખાતે રોકાયા હતાં. અહિ બિમારીને કારણે રાત્રે બેભાન થઇ જતાં તેમના જમાઇ અને દિકરાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રો છે. પતિ શંકરપ્રસાદ ખેતી કરી ગુજરાન ચલાવે છે.

(11:55 am IST)