Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રાવળ સમાજ દ્વારા પદાધીકારીઓ-અધિકારીઓનો આભાર વ્‍યકત કરાયો

રાજકોટ : મ્‍યુનિ.કોર્પોરેશનની આજે સવારે મળેલ દ્વિમાસીક સામાન્‍ય સભામાં મહાનગર પાલિકાની હદમાં આવેલ રાજકોટના સર્વે નં.ર૧૮ પૈકીની જમીન સમસ્‍ત રાવળ સમાજને સ્‍મશાન- સમાધિસ્‍થાન માટે ફાળવવા સર્વાનુમતે નિર્ણય થતા સમસ્‍ત રાવલ સમાજના આગેવાનો દ્વારા મેયર પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, તથા શાસક નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓને ફુલહાર, પુષ્‍ગુચ્‍છ અર્પણ કરી આભાર વ્‍યકત કર્યો હતો સાથોસાથ મો મીઠા કરાવ્‍યા હતા. આ તકે સમસ્‍ત રાવળ સમાજ પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, રાજુભાઇ બોરાણા, નીરવભાઇ વાણિયા, મહેશભાઇ ગોહિલ, રાજેન્‍દ્રભાઇ સોઢા, કમલેશભાઇ મછોયા, ધર્મેશભાઇ સોઢા, સુનીલ પેથાની, રવિભાઇ નકુમ, ભાવિન પરમાર, ખીમજીભાઇ સોઢા, દિવ્‍યેશ ભોજક, મેહુલભાઇ ગોહેલ, ભરતભાઇ મુંજરિયા, સુખડેદભાઇ બોડા, વિનુભાઇ પીયલા, ધર્મેશભાઇ ચૌહાણ, જયેશભાઇ ચૌહાણ, સંદિપભાઇ સોઢા, દીપકભાઇ બોડા, મુકેશભાઇ બોડા, જયદેવભાઇ બોડા, રાજુભાઇ રાઠોડ, તથા મોટી સંખ્‍યામાં સમસ્‍ત રાવળ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:23 pm IST)