Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બજરંગવાડીમાં એકલવાયુ જીવનથી કંટાળી મોચી વૃધ્ધા કમળાબેનની આત્મહત્યા

રાજકોટ તા.૨૦: બજરંગવાડીમાં રહેતા મોચી વૃધ્ધાએ એકલવાયુ જીવનથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.મળતી વિગત મુજબ બજરંગવાડી શેરી નં.૧૧માં રહેતા કમળાબેન બાબુભાઇ સરવૈયા (ઉ.વ.૮૦)(મોચી)એ પોતાના ઘરે પંખા સાથે સાળી બાંધી ગળાફાંસોખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક કમળાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે તે રૈયા રોડ અક્ષરનગરમાં રહે છે. પુત્ર માતા કમળાબેનના ઘરમાં પાનની ચલાવે છે.

કમળાબેનના પતિનું છ માસ પહેલા અવસાન થતા તે એકલા રહેતા હતા.

પુત્ર પ્રતાપભાઇ સવારે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલતા માતા કમળાબેન લટકતા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ જયસુખભાઇ હુંબલ તથા રાઇટર પરાક્રમસિંહ ઝાલાએ તપાસ હાથધરી હતી. મોચી વૃધ્ધાએ એકલવાયુ જીવનથી કંટાળી પગલુ ભર્યૂ હોવાનું ખુલ્યુ હતું.

(3:48 pm IST)