Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાજુલામાં રાજકોટના બીનાબાને પતિ-સાસરિયાનો ત્રાસઃ સ્ત્રીધન ઓળવી ગયાની ફરિયાદ

રાજકોટઃ હાલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર સૂર્યોદય સોસાયટીમાં રહેતાં બીનાબા જયેન્દ્રસિંહ ધાખડા (ઉ.૩૨)એ અમરેલીના રાજુલા ખાતે કૃષ્ણનગરમાં રહેતાં પતિ જયેન્દ્રસિંહ બચુભાઇ ધાખડા, સાસુ ગુલાબબા બચુભાઇ ધાખડા અને સસરા બચુભાઇ એભલભાઇ ધાખડા તથા જયશ્રીબેન અનકભાઇ લાલુ સામે રાજકોટ મહિલા પોલીસ મથકમાં દહેજધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

બીનાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન જીવન દરમિયાન પતિ સહિતનાએ ઘરકામ જેવી નાની-નાની બાબતે મેણાટોણા મારી દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ સ્ત્રીધનનો સામાન અવાર-નવાર માંગણી કરવા છતાં નહિ આપી વિશ્વાસઘાત કરી ઓળવી લીધો છે. ફરિયાદના આ આક્ષેપો અંગે પોલીસે આઇપીસી ૪૦૬, ૪૯૮ (ક), ૧૧૪, દહેજધારા અધિનીયમની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધ્યો છે. પી.એસ.આઇ. એમ. ડી. વિઠ્ઠલાપરાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)