Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સ્વ. અમૃતભાઇ રાઠોડને પોલીસ કમિશનર-ડીસીપી અને અધિકારીઓની હેડક્વાર્ટર ખાતે શોક સલામી

કોરોના વોરીયર ઍઍસઆઇ અમૃતભાઇ રાઠોડનું અવસાન થતાં તેમને આજે બપોરે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ઍસીપી, પીઆઇ સહિતેશોક સલામી આપી હતી. અમૃતભાઇ રાઠોડ ૧૧-૦૩-૧૯૯૯ના રોજ શહેર પોલીસમાં ભરતી થયા હતાં. હેડક્વાર્ટર, બી-ડિવીઝન, માલવીયાનગર, ટ્રાફિક શાખા અને ગાંધીગ્રામમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. તેમની ખંત અને નિષ્ઠાપુર્વકની ફરજ તથા સરળ અને લાગણીશીલ સ્વભાવને કારણે તેઓ પોલીસબેડામાં ખુબ સારી ચાહના ધરાવતાં હતાં. પોલીસ પરિવારે સ્વ. અમૃતભાઇના સ્વજનોને હિમત અને આશ્વાસન આપ્યા હતાં.

(4:33 pm IST)