Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોના વોરિયર્સ બી-ડિવીઝનના એએસઆઇ અમૃતભાઇ રાઠોડનું અવસાનઃ શોક સલામી અપાઇ

રાજકોટઃ શહેરના બી-ડિવીઝન પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં અને રામનાથપરા પોલીસ લાઇન ૧૪/૪માં રહેતાં ખુબ જ હસમુખા અને મળતાવડા સ્વભાવના ભલા માણસની છાપ ધરાવતાં અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.વ.૪૭)ની તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ શ્વાસમાં તકલીફ હોઇ દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ ગત સાંજે તેમણે અંતિમ શ્વાસ લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેર પોલીસ દ્વારા સ્વ. અમૃતભાઇ રાઠોડને સિવિલ હોસ્પિટલ ખાતે શોક સલામી આપવામાં આવી હતી. અમૃતભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પિતાની છત્રછાંયા ગુમાવતાં સંતાનો શોકમાં ગરક થઇ ગયા છે.

(12:51 pm IST)