Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

અનુસુચિત જાતીના લોકો શાંતિ જાળવેઃ વશરામભાઇ ની અપીલ

કાલે સવારે ૧૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે મીટીંગ

રાજકોટ તા. ૨૦: શહેરના રાજનગર આસ્થા ચોકડીમાં ડો. આંબેડકરની પ્રતિમા હટાવવાના મુદે અનુસુચિત જાતિ ના તમામ લોકોને શાંતિ જાળવવા વિપક્ષી નેતા વશરામ ભાઇ સાગઠીયા, સિધ્ધાર્થ પરમાર, બી.જે. સોમૈયા તથા બાલુભાઇ વિંછુડા સહિતના આગેવાનોએ અપીલ કરી છે.

આ અંગે વશરામભાઇ સાગઠિયાની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ ખાતે અનુસુચિત જાતિના તમામ લોકોને ઉપસ્થિતમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા તથા અનુસુચિત જાતિના લોકોને કાયદો હાથમાં ન લેવા વશરામભાઇ સાગઠિયા, સિધ્ધાર્થ પરમાર, બી.જે. સોમૈયા, માધુભાઇ ગોહેલ, રવજીભાઇ ખીમસુરીયા ડી.ડી. સોલંકી બાલુભાઇ વિછુંડા સહિતના આગેવાનોએ અપીલ કરી છે.(૧.૨૫)

(4:40 pm IST)