Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ભગવાનને ચંદનના વાઘાનો શણગાર

સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્રરોડ ખાતે મહંત સ્વામી શ્રી હરિવલ્લભદાસજી દ્વારા ઠાકોરજીને ચંદનના વાઘાની વિશિષ્ટ સેવા ગ્રીષ્મ ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. અક્ષય તૃતીયાથી અમાસ સુધી સંતો દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા, સ્વામિનારાયણ ભગવાન, નારાયણ ભગવાનને કલાત્મક ડીઝાઇન યુકત ચંદન તેમજ મોગરાના ફુલોનો શણગાર કરાશે. બપોરે ૪ થી સાંજના ૭ સુધી ઠાકોરજીને ધરાવેલ સરબતના પ્રસાદનું વિતરણ કરાશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા કોઠારી સ્વામીએ અનુરોધ કરેલ છે. (૧૬.૧)

(2:43 pm IST)