Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વિજયનગરમાં પગના દુઃખાવાથી કંટાળી સવીતાબેન પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા.૨૦: કોઠારિયા રોડ પર વિજયનગરમાં પગના દુઃખાવાથી કંટાળી પટેલ પ્રૌઢાનો ગળાફાંસો ખાઇ આપૅાત કરીલેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર વિજયનગરમાં રહેતા સવીતાબેન ધનજીભાઇ ગોરસીયા(ઉ.વ.૫૭)એ પદતાના ઘરે બીજામાળે લોખંડની જાળી સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ  કરતા ૧૦૮ના ઇએબટી નરેશભાઇ સાગઠીયાએ જોઇ તપાસછ પટેલ પ્રૌઢાનું મોત નિયજયુ હોવાનું જાહેર કર્યું હતું. જાણ થતા ભકિતનગર પોલીસ મથક પીએસઆઇ એમ.ડી.વાઇા તથા રાઇટર રણછોડભાઇએ તપાસ આદરી હતી મૃતક સવીતાબેનના પતિ રીક્ષા ચલાવે છે. તેને ઘણા સમયથી પગના સાંધાનો દુઃખાવો થતો હોઇ તે સહન ન થતા તેણેઆ પગલુ ભર્યુ હોવાનું પોલીસ પ્રથિમિક તપાસમાં ખુલ્યુ છે.(૨૨.૬)

(2:42 pm IST)