Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પૂ.હરિચરણદાસજી બાપુએ મારૂ નામ રાખેલું: મારા માતા કહેતા જીવનમાં સારા વ્‍યકિત બનવું ખૂબ જરૂરી

પૂ.બાપુની જીવનમાંથી મને ખૂબ પ્રેરણા મળી, તેઓને કોટી કોટી વંદન

રાજકોટઃ પૂ.હરિચરણદાસબાપુ પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા ધરાવતા ચેતેશ્વર પૂજારાએ જણાવેલ કે મારૂ નામ ખુદ પૂ.હરીચરણદાસ બાપુએ રાખેલ હતું. તેમણે જીવનમાં હંમેશા મને પ્રેરણા પૂરી પાડી છે.

હું જયારે પણ દુવિધામાં હોય ત્‍યારે મને માર્ગદર્શન આપ્‍યું છે. એમ પણ કહી શકાય  કે તેઓ મારા જીવનમાં માર્ગદર્શક હતા. તાજેતરમાં જ તેઓની પુણ્‍યતિથિ નિમીતે ગોંડલ જઈ દર્શન કર્યા હતા. પૂ.બાપુને કોટીકોટી વંદન.ચેતેશ્વરને તેમના માતા પ્રત્‍યે પણ ખૂબ લાગણી હતી. તેઓ કહે છે મારા માતા હંમેશા કહેતા કે જીવનમાં સારા વ્‍યકિત બનવું ખૂબ જરૂરી છે. હું આજે જે કંઈ છું તે મારા માતા- પિતાના આશીર્વાદથી છું.

(4:04 pm IST)