Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગાંધીનગરથી એપેડેમિક ઓફીસર ડો. કમલેશ ઉપાધ્યાય રાજકોટમાં: કલેકટર-કમીશ્નર સહિત કોર ગ્રુપ સાથે મીટીંગ

રાજકોટ માટે નોડલ ઓફીસર નિમાયાઃ તમામ તકેદારી અંગે માર્ગદર્શન આપશે : કોરોનાની સ્થિતિ જાણશેઃ સ્વાઇન ફલૂમાં પણ  ડો.કમલેશ નોડલ ઓફીસર હતા...

રાજકોટ તા. ર૦ :.. રાજકોટમાં કોરોનાનો કેસ પોઝીટીવ આવ્યો અને ૪ દર્દી શંકાસ્પદ હોય સરકારે તાકિદે રાજકોટ માટે નોડલ ઓફીસર તરીકે ગાંધીનગરના સ્પે. એપેડેમીક ઓફીસર ડો. કમલેશ ઉપાધ્યાયની નિમણુંક કરી છે, ડો. કમલેશ આજે પોતે ૧ર વાગ્યે રાજકોટ દોડી આવ્યા છે, અને કલેકટર કચેરી ખાતે કલેકટર - મ્યુ. કમીશ્નર - ડીડીઓ - ડીએસઓ - આરોગ્ય અધિકારીઓ - ડે.કલેકટરો સાથે કોર ગ્રુપની મીટીંગ યોજી છે, તેઓ તેમાં કોરાનાથી રાજકોટમાં સ્વાઇન ફલૂ ફાટી નિકળ્યો  ત્યારે પણ નોડલ ઓફીસર તરીકે ફરજ  બજાવી ચૂકયા છે.

(4:20 pm IST)