Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોનમાં આધારકાર્ડ કેન્દ્રો ૩૦ માર્ચ સુધી બંધ

રાજકોટ,તા.૨૦: રાજકોટ શહેરમાં વસતા નાગરીકો જોગ આ અખબારી યાદીથી જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ :- (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦'રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે.

હાલનાં સંજોગોમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઈરસ(covid-19) નું સંક્રમણ ખુબ વધી ગયેલ છે. તેમજ હાલ રાજકોટ શહેરમાં પણ નાગરિક કોરોનાથી સંક્રમિત થયેલ છે. આ વાઇરસ સંક્રમિત દર્દી તરફથી ચેપ લાગવાથી જેનું સંક્રમણ વધુ થવાની સંભાવના રહે છે.

જે ધ્યાને લઇ જાહેર જનહિત માટે સાવચેતીનાં પગલે મહાનગરપાલિકાનાં ઉકત ત્રણેય આધાર નોંધણી કન્દ્રો તા.૩૦ સુધી બંધ રહેશે, જેથી આધાર કેન્દ્રો ખાતે નાગરીકોને મુલાકાત ન લેવા અપિલ કરાઇ છે.

(4:17 pm IST)