Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સોની બજારમાં કુણાલભાઇ આડેસરાની જવેલર્સની દુકાનમાં ૩પ હજારની ચોરી

રાજકોટ તા. ર૦ :.. શહેરની સોની બજારમાં જૂની ગધીવાડ મુગટ ચેમ્બરમાં આવેલી જવેલર્સની દુકાનમાં તસ્કરોએ તાળા તોડી રૂ. ૩પ હજારની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કેવડાવાડી શેરી નં. ૧૭ મન મંદિર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા કૃણાલભાઇ કાંતીલાલ આડેસરા (ઉ.૩૩) સાત દિવસ પહેલા સોની બજારમાં જૂની ગધીવાડ મુગટ ચેમ્બરમાં ત્રીજા માળે શ્રી બુટભવાની જવેલર્સ નામની પોતાની દુકાને હતાં. અને રાત્રે પોતે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતાં. બાદ બીજા દિવસે સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનના દરવાજા તુટેલા જોતા પોતે તાળુ ખોલીને દુકાનની અંદર જોતા સામાન વેરવિખેર પડયો હતો. અને પોતે બાકડાના ખાનામાં જોતા તેમાંથી અંદાજે પાંચ ગ્રામ સોનાનો ભુકો (કાચુ સોનુ) ગાયબ હતો. અને દુકાનના ખૂણામાં એક પ્લાસ્ટીકની ડોલમાં રાખેલ કચરો (બાણ) પણ ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આથી કોઇ અજાણ્યા શખ્સોએ દુકાનના દરવાજા તોડી રૂ. ૩પ૦૦૦ ની મતા ચોરી ગયા હતાં. આ અંગે કૃણાલભાઇએ એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી. એમ. ડોડીયાએ તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)