Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જાહેરમાં ગંદકી ફેલાવતા-થૂંકતા ૪૩ આસામીઓ પાસેથી આજે વધુ ૨૧II હજાર વસુલતી મનપા

રાજકોટ,તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા કોરોના (COVID-19) વાઇરસને અટકાવવાના ભાગરૂપે મ્યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવા અંગે આદેશ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને પૂર્વ ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ સબબ ત્રણેય ઝોનમાં ૪૩ આસામીઓ પાસેથી કુલ રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં વેસ્ટ ઝોનમાં રૂ. ૭૦૦૦, સેન્ટ્રલ ઝોનમાં રૂ.૭૦૦૦ અને ઈસ્ટ ઝોનમાં રૂ.૭૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલે હતો.

(4:17 pm IST)