Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જંગલેશ્વર આસપાસના વિસ્તારોમાં ફફડાટઃ બેંકો બંધ કરવા હાઈ-લેવલ મીટીંગ

સોરઠીયાવાડી, નિલકંઠ, આનંદનગર સહિતના વિસ્તારવાસીઓમાં ભય

રાજકોટ, તા. ૨૦ : શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો દર્દી મળી આવતા આ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ ભય અને ફફડાટનો માહોલ ઉભો થયો છે અને તેના કારણે આ વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોની શાખાઓ બંધ રાખવા માટે આ બેંકના અધિકારીઓની હાઈ-લેવલની મીટીંગો શરૂ થયાનું જાણવા મળ્યુ છે. આ અંગે વિસ્તારવાસીઓમાં ચર્ચાતી વિગતો મુજબ જંગલેશ્વરમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝીટીવ દર્દીઓ મળતા આસપાસના નિલકંઠ, સોરઠીયાવાડી, આનંદનગર વગેરે વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન આ વિસ્તારની સહકારી બેંક તથા રાષ્ટ્રીય કૃત બેંકની શાખાઓમાં મોટાભાગના ગ્રાહકો જંગલેશ્વર વિસ્તારના હોવાથી આ બેંકો શાખાઓને થોડા દિવસો બંધ રાખવા બેંકના શાખા અધિકારીઓ દ્વારા હાઈલેવલની મીટીંગો શરૂ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

(1:03 pm IST)