Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટમાં ચાની કિટલી, પાનના ગલ્લાઓ બંધ કરાવવા આદેશ

શહેરમાં કોરોનાને ફેલાતો રોકવા તકેદારીના પગલાંરૂપે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો આદેશ

રાજકોટ : રાજકોટમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવા બાદ તંત્ર પણ દોડતું થયું છે  શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે  મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ રાજકોટમાં ચાની કિટલી, પાનના ગલ્લાઓ બંધ કરાવવા આદેશ કરી દીધો છે.

રાજકોટમાં એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે તેવામાં આરએમસી કમિશ્નરએ જણાવ્યું હતું કે 100 જેટલી ટીમો બનાવવામાં આવી છે જે શહેરમાં કાર્યરત છે. જે વિસ્તારમાં દર્દી રહ્યો છે ત્યાંના 18000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ તેના પરીવારના સભ્યોની પણ જરૂરી કાળજી લેવામાં આવી રહી છે.

(3:29 pm IST)