Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હાર્દિકના પુતળાનું દહન રાજકોટમાં અરવિંદ રૈયાણી અને જામનગરમાં રાઘવજીભાઈના પુત્રના ઈશારે થયુ : ધડાકો

હાર્દિકની લોકપ્રિયતા ભાજપીઓ પચાવી શકતા નથી : 'પાસ'ના પ્રવકતા હેમાંગ પટેલ : સુરતમાં 'પાસ'માં કોઈ ડખ્ખો નથી, અસામાજીક તત્વો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે

રાજકોટ, તા. ૨૦ : તાજેતરમાં રાજકોટમાં અને જામનગરમાં હાર્દિક પટેલના પુતળાનું દહન ભાજપના નેતાઓના ઈશારે કરાયાનું 'પાસ'ના પ્રવકતા હેમાંગ પટેલે એક નિવેદનમાં જણાવી વિસ્ફોટ કર્યો છે.

તેઓએ જણાવેલ કે પાટીદાર સમાજમાં વધી રહેલી લોકપ્રિયતા અને તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હાર્દિક પટેલને બદનામ કરવાના કાવતરાઓ થઈ રહ્યા છે અને રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ઈશારે અને જામનગરમાં પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના પુત્રના ઈશારે પુતળા દહનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જે કાર્યકર પુતળાદહનના કાર્યક્રમમાં જોવા મળતા હતા તે જ કાર્યકર ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે જોવા મળે છે.

''પાસ''ના પ્રવકતા હેમાંગ પટેલે વધુમાં જણાવેલ કે ભાજપ પોતે આગળ આવી આ પ્રકારના કાર્યક્રમ કરે તો લોકો તેમને સ્વીકારે નહિં એટલે પડદા પાછળની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપની ખોટી નીતિ અને પ્રજા વિરોધી વલણના લીધે દેશની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. આ પ્રકારના કૃત્યો આગામી દિવસોમાં બંધ કરવામાં નહિં આવે તો આવા લોકોના ઘરે જઈ ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(4:17 pm IST)