Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભગવાન નામ માત્રથી કષ્ટ-રોગ દૂર થાય છેઃ સંતોના આશિર્વચન

બાલાજી મંદિરે વિજયભાઈના સ્વાસ્થ્ય-દિર્ઘાયુ માટે મારૂતિ યજ્ઞ યોજાયો : આ યજ્ઞમાં અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, રામભાઈ મોકરીયા, રાજુ ધ્રુવ તથા જીજ્ઞેશદાદા, ભકિતપ્રસાદ સહિતના સંતો, રાજકીય આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈના દિર્ઘાયુ માટે કરી પ્રાર્થના

રાજકોટ,તા.૨૦: રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્થે અત્રે  બાલાજી હનુમાનજી મંદિર  ખાતે યોજાયેલ મારૂતિયજ્ઞમાં ઉપસ્થિત સંતોએ ભગવાન નામ માત્રથી કષ્ટ અને રોગ દુર થાય છે તેમ જણાવ્યુ હતુ અને શ્રી વિજયભાઇ જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે અહિંના સુપ્રસિધ્ધ શ્રીકરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞમાં  પૂ.જીજ્ઞેશદાદા, કો.સ્વામી વિવેકસાગરદાસજી, ભકિતપ્રસાદ સ્વામી, નારાણદાસ સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કો. સ્વામી રાધા રમણદાસજી ,  અંજલીબેન વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, રાજયસભાના ભાજપ ઉમેદવાર રામભાઇ મોકરીયા  ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ચેતનભાઈ રામાણી તથા જયમીન ઠાકર, મનીષ રાડીયા, અશ્વિન પાંભર, દેવાંગ માંકડ, નેહલ શુકલ, ડો.દર્શિતાબેન શાહ, વંદનાબેન ભારદ્વાજ, આશાબેન ઉપાધ્યાય,  બીપીનભાઇ બેરા સહિતનાં રાજકીય આગેવાનો અને સંતો- મહંતો અને નગરજનો ઉપસ્થિત રહી પ્રર્થના કરી હતી.

(3:32 pm IST)