Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કોટેચા સ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

 રાજકોટ શ્રી કે.જે.કોટેચા પ્રાયમરી સ્કુલના વર્ષ ૧૯૮૧ થી ૧૯૮૭ વચ્ચે ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું 'ગુરૂ શિષ્ય સ્નેહમિલન' તાજેતરમાં કોટેચાનગર સ્થિત શાળા સંકુલ ખાતે યોજાઇ જેમાં અભ્યાસ કરેલ પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહ પૂર્વક મળ્યા હતા જુના સંસ્મરણો વાગોળ્યા હતા આ તકે ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ શિક્ષકોનું સન્માન શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય તથા કયા ક્ષેત્રમાં કાર્યરત છે તેની વિગતો આપી હતી આ તકે વિદ્યાર્થીઓ ઇબ્રાહીમ સૈફી દ્વારા આ પ્રસંગને અનુરૂપ અને યાદગાર બનાવવા કેક તૈયાર કરાવી હતી. જે શિક્ષકોના હાથે કટ કરાવી સ્નેહ મિલનને યાદગાર બનાવાયું હતું અંતમાં સૌ સાથે ભોજન લઇ ફરી મળવા ના અને સંપર્કમાં રહેવાના કોલ આપી છુટા પડયા હતા.

(4:38 pm IST)