Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મનહરપ્લોટના માધવ પ્રેમ ઍપાર્ટમેન્ટમાં દિમીત્ર માલધારીનો ફાંસો ખાઇ આપઘાત

૩૫ વર્ષિય યુવાન દૂધનો ધંધો કરતો હતોઃ કારણ જાણવા પોલીસ તપાસ

રાજકોટ તા. ૨૦: વિદ્યાનગર મેઇન રોડ પર મનહરપ્લોટમાં આવેલા માધવ પ્રેમ ઍપાર્ટમેન્ટમાં બ્લોક નં. ૨૦૧માં રહેતાં અને દૂધનો ધંધો કરતાં દિમિત્રભાઇ આનંદભાઇ માલધારી (વણિક) (ઉ.વ.૩૫-રહે. મનહરપ્લોટ)ઍ બપોરે પોતાના ઘરમાં પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત કરનાર યુવાન દૂધનો ધંધો કરતો હતો. તે નાના ભાઇ સાથે રહેતો હતો. મોટાભાઇ ઘરે હાજર ન હોઇ ત્યારે તેણે અકળ કારણોસર આ પગલુ ભર્યુ હતું. બનાવની જાણ થતાં ઍ-ડિવીઝન પોલીસ મથકના રાણાભાઇ સહિતનો સ્ટાફ પહોîચ્યો હતો. મૃતક મુળ કોટડા સાંગાણી પંથકનો વતની હોવાનું જાણવા મળે છે. ઍપાર્ટમેન્ટની નીચે જ દૂધનો ધંધો કરતો હતો. ૧૦૮ના ઇઍમટી કરણભાઇ રામ અને પાઇલોટ જયેશભાઇ ખટાણા પણ પહોîચ્યા હતાં.

 

(3:47 pm IST)