Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રઘુકુળ ભૂષણ વીર રાણા જશરાજજીની શનિવારે ૯૬૪મી પુણ્‍યતિથિ : મહારકતદાન કેમ્‍પ

રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા આયોજન : વિડીયો થકી લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ દ્વારા રકતદાનની અપીલ

રાજકોટ, તા. ર૦ : હિન્‍દુ સમ્રાટ અને રઘુકુળ ભૂષણ વીર રાણા જશરાજજીની આગામી તા. રર મીએ શનિવારે ૯૬૪ મી પુણ્‍ય તિથિ એ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા સવારે ૧૦ વાગ્‍યાથી બપોરના ર વાગ્‍યા સુધી સ્‍પાયર-૦ર ની સામે, શીતલ પાર્ક ચોક, ૧પ૦ રીંગ રોડ ખાતે મહારકત દાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેવાકીય કાર્યમાં લોક સાહિત્‍યકાર દેવાયતભાઇ ખવડ એ લોકોને રકતદાન કરવા અંગે વિડીયો બનાવી વિશેષ સહયોગ આપયો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ રકત દાન કેમ્‍પમાં મુખ્‍ય અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ઉપરાંત રઘુવંશી સમાજના અગ્રણીઓ સરકારી અધિકારી હાજરી આપશે.
આ મહારકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે શ્રી રઘુવંશી યુવા શકિત સંઘના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ કાછેલા ધવલ (કે.ડી. રઘુવંશી), સંગઠનના હોદેદારો ગુજરાત ઉપપ્રમુખ મોહિત સવાણી, ગુજરાત પ્રભારી કુલ દીપ રઘુવંશી, સૌ. પ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારત ધામેચા તેમજ મીડિયા ઇન્‍ચાર્જ રવીરાજ રઘુવંશી તેમજ સમગ્ર ટીમ એ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:19 pm IST)