Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાજકોટની નિર્મલા સ્‍કૂલના સૌપ્રથમ

પ્રિન્‍સીપાલ સિસ્‍ટર મારીયા થેરેસા ઉંજુનું કોરોનાથી દુઃખદ નિધનઃ ૯૭ વર્ષના હતા

રાજકોટઃ અહીંની શૈક્ષણિક સંસ્‍થા નિર્મલા સ્‍કૂલમાં સૌપ્રથમ પ્રિન્‍સીપાલ તરીકે સેવા આપનાર સિસ્‍ટર મારીયા થેરેસા ઉંજુનું ૯૭ વર્ષની વયે કોરોનાથી દુઃખદ નિધન થયું છે.
વર્ષ ૧૯૬૩માં નિર્મલા સ્‍કૂલની સ્‍થાપના થઈ ત્‍યારે સિસ્‍ટર મારીયા થેરેસા ઉંજુ પ્રિન્‍સીપાલ બન્‍યા હતા. તેઓએ રાજકોટની નિર્મલા સ્‍કૂલમાં ૨૦ વર્ષ સુધી સેવા આપી હતી. ત્‍યારબાદ તેઓ મુંબઈ ખાતે નિવૃત જીવન જીવી રહયા હતા. દરમિયાન તાજેતરમાં તેઓને કોરોના થતાં સારવાર કારગત નિવડી ન હતી. તેઓ ૯૭વર્ષના હતા.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં નિર્મલા સ્‍કૂલની દરેક સંસ્‍થાઓમાં શોકની લાગણી છવાઈ છે. રાજકોટની નિર્મલા સ્‍કૂલના હાલના પ્રિન્‍સીપાલ સિસ્‍ટર સીની સહિતના સ્‍ટાફ દ્વારા તેઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

 

(3:17 pm IST)