Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પૂ.રાજેશમુનિ મ.સા.ના સુશિષ્‍ય પૂ.ભવ્‍યમુનિજીની પાલખીયાત્રા નીકળી : કાલે ગુણાનુવાદ સભા

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્‍થવીર ગુરૂદેવ સ્‍વ.પરમ પૂજય શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન અનંત ઉપકારી પરમ પૂજય ગુરૂ ભગવંત  બાબુશ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન પરમ પૂજય શ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબની અનશન તપની ઉગ્ર આરાધના ઘણા સમયથી ચાલી રહેલ. પૂજયશ્રીને તા. ૧૯-૧-૨૨ને બુધવારે ૫૯મો ઉપવાસ અને સંથારાનો ૨૯મો દિવસ રહેલ. પૂજયશ્રીએ તિથિ પોષ - વદ બીજને તા.૧૯-૧-૨૨ને બુધવારે બપોરે ૩:૨૦ કલાકે મહાપ્રયાણ કરેલ.

પાલખીયાત્રા ૫:૧૫ વાગ્‍યે

શ્રી ઋષભદેવ ઉપાશ્રયથી પ્રારંભ થશે. રૂટ : શાશ્વત એપાર્ટમેન્‍ટ, પારસ સોસાયટી, હંસા પ્રોવિઝન, નવીનનગર હોલ, યુનિવર્સિટી રોડ, વોકહાર્ટ પાછળ, ઈન્‍દીરા સર્કલ, પંચાયતનગર ચોક, આકાશવાણી ચોક, જે.કે.ચોક, શિલ્‍પન રેવા ફલેટસ, વસંત મારવેલ ફલેટસ, સરીતા વિહાર ચોક, જડ્ડુસ, મોટા મૌવા અંતિમધામ' પહોંચી હતી.

કાલે ગુણાનુવાદ સભા

જૈન શાસન તથા ગોંડલ સંપ્રદાયના ઝળહળતા રત્‍ન તપસ્‍વીરાજ અનશન આરાધક પરમ પૂજય શ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબની ગુણાનુવાદ સભા શ્રી ઋષભદેવ સંઘ શાશ્વત એપાર્ટમેન્‍ટ' પારસ સોસાયટી, રાજકોટ તા.૨૦ જાન્‍યુ.૨૨ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ રાખેલ છે.

(6:03 pm IST)