Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

આજે સાંજે પરાબજાર ખાતે

શાંતિપૂર્વક દેખાવ કાર્યક્રમને પોલીસે મંજુરી નહિ આપતા બેંક કામદારો લાલઘુમ

રાજકોટ, તા. ર૦ : બેંક કર્મચારીઓના જાન્યુઆરી-ર૦ થી જાન્યુઆરીની ૩૧ સુધી આંદોલનનો કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી આપેલ છેે તે અન્વયે તા. ર૦/૧ના રોજ અમારા સંગઠને પોલીસ કમિશનરશ્રીને સાંજે પ-૧પ થી ૬-૦૦ કલાક સુધી પરાબજાર બેંક ઓફ ઇન્ડીયા પાસે, રાજકોટ દેખાવો કરવા પરવાનગી માંગેલ હતી. પોલીસ ખાતા મારફત મુખ્યમંત્રીના આ સમય દરમ્યાન કાર્યક્રમને ધ્યાનમાં લઇ બેંક કર્મચારીઓને શાંત-દેખાવો જે મુખ્યમંત્રીની વિરૂદ્ધમાં નથી તે દેખાવો કરવા પરમિશન આપેલ નથી. મુખ્યમંત્રીનો આ વિસ્તારમાં કોઇ કાર્યક્રમ પણ નથી. રાષ્ટ્ર જયારે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે બંધારણે ભેગા થવાના અને અભિવ્યકિતના અધિકાર બક્ષેલા છે તે અન્વયે પરવાનગીની અરજ કરેલી તે નકારવામાં આવેલ છે. બેંક કર્મચારીઓ/અધિકારીઓ સરકારના આ વલણથી નારાજ છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની અખબારી યાદી જણાવે છે.

(4:06 pm IST)