Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

લોધીકાના પાળ પીપળીયા ગામે બે મકાનમાં તસ્કરો ખાબકયા

૧૪ હજારની મતા ચોરી ગયાઃ કેબીનના પણ તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો

રાજકોટ, તા., ર૦: લોધીકાના પાળ પીપળીયા ગામે સનરાઇઝ પાર્કના બે મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ૧૪ હજારની મતા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના પાળ પીપળીયા ગામની સીમમાં આવેલ સનરાઇઝ પાર્ક બ્લોક નં. ૧પર માં રહેતા સરખમણભાઇ વિરાભાઇ આહીરના મકાનમાં તસ્કરોએ પ્રવેશી સોના-ચાંદીના દાગીના કિંમત ૧૦,૩૦૦ તથા રોકડ ૩૬૦૦ મળી કુલ ૧૩,૯૦૦ મતા ચોરી કરી ગયા હતા તેમજ બાજુમાં આવેલ સાહેદ રમેશભાઇ નારણભાઇ પરમારના મકાનના તાળા તોડી અને સાહેદ રાજુભાઇ ભકાભાઇ ગલોતર ની કેબીનના શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.  આ અંગે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ થતા લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)