Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જીવદયા માટે કિશોરભાઇ અને દિનેશભાઇનું અનન્ય તપઃ ૩ લાખની પહેલ સામે ૯ લાખ એકત્ર

રાજકોટઃ રાજકોટ મહાજન પાંજરાપોળ માટે જે ૩૧ વર્ષથી ૫૦૦ મંડપમાં સૌથી છેલ્લુ મંડપ જીવદયાનું કિશોરભાઇ કોરડીયા - ધારેશ્વર મંદિર પાસે પ્રતિ વર્ષ એક જગ્યાએ બેસે છે. આ વખતે કારખાનાઓમાં તેમજ વેપાર ઉદ્યોગમાં મંદિ તેમજ બે સંક્રાતિ હોવા છતા તથા કિશોરભાઇ કોરડીયા બીમાર હોવા છતા  પબ્લીક રીલેશન તુટી જવા છતા રાજકોટની પ્રજાએ કિશોર કોરડીયાના ખબર અંતર પૂછવાના બહાને આશરે ૮૦૦૦ માણસોએ  દુર દુરથી આવીને ફાળો લખાવેલો હતો. જેમા કિશોરભાઇ કોરડીયાની પહેલ 'રૂ.૩૦૦,૦૦૦'(ત્રણ લાખ)ની હતી. તેની સામે  રાજકોટની જીવદયા પ્રેમી પ્રજાએ ઉમટી પડીને આશરે રૂ. ૯ લાખ કરી આપેલ છે. જેમા રાજકોટ મહાજન પાંજરાપોળને કુલ આઠ લાખના બેતાલીસ હજાર તેમજ શ્રમજીવી  દેરાસર માંથી ઉભી થયેલ રકમ ૪૨ હજાર જેવી રકમ  અન્ય પાંજરાપોળ જેવી કે મહાગૌરી પાંજરાપોળ (ત્રંબા), વૃંદાવન ગૌ-શાળા રાજકોટ તેમજ વખતર / ગંગામૈયા /વડિયા પાંજરાપોળમાં ફાળવેલ છે. ઉપરોકત મંડપમાં મિત્રોના ટેકાથી એકલા હાથે કિશોરભાઇ તથા દિનેશચંદ્ર બોરડીયાએ ૪૦ કલાક અન્ન જળનો ત્યાગ કરી અજબ -ગજબ રકમ એકઠી કરેલ છે. આ રકમમાં સહકાર આપનાર મિત્રો અરવિંદભાઇ શાહ, વિનુભાઇ મહેતા , મહેશભાઇ મહેતા , મુકેશભાઇ મીઠાણી, કનૈયાલાલ મહેતા, ચેતનભાઇ મહેતા, એડવોકેટ બોસમીયા ભાઇ, વિનોદભાઇ કોરડીયા , ખીમાણીભાઇ તથા બીનલબેન ગાંધી હાજર રહેલ હતા.

મંડપમાં વલ્લભભાઇ કથીરીયા , પૂર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલ, પૂર્વ મેયર જૈમિનભાઇ ઉપાધ્યાય , વરિષ્ઠ પત્રકાર વિમલભાઇ ધામી , શ્રમજીવી સંઘના  અગ્રણી ચીનુભાઇ શાહ, દીનેશભાઇ શાહ, પૂ. સાધ્વીજી ભગંતવ જીજ્ઞારસાશ્રીજી, મોદી  સ્કૂલના ચેરમેન શ્રી રશ્મિકાંન્તભાઇ મોદી , રોયલ પાર્ક ઉપાશ્રયના પ્રમુખ સી.એમ.શેઠ, માંડવી ચોકના પ્રમુખ જીતુભાઇ ચા વાળા , મણિયાર દેરાસરના દિલીપભાઇ પારેખ , પંકજભાઇ કોઠારી, પંચવટી દેરાસર ના દિલીપભાઇ પારેખ , પંકજભાઇ કોઠારી , પંચવટી દેરાસરના પ્રફુલભાઇ ધામી  તેમજ એડવોકેટ શ્રી દોશી તેમજ મહિલા મંડળના ઈન્દુમતી  બહેન , શ્રમજીવી  સ્થાનકવાસી ઉપાશ્રયના પ્રમુખ હિતેષભાઇ મહેતા , રાજકોટ ગ્રેટર ચેમ્બર્સના ગ્લોટેક્ષ પ્રા.લી.ના હર્ષાબેન  હીરાલાલભાઇ વાધર, પ્રહલાદ પ્લોટસંઘના  સેક્રેટરી  પ્રવિણભાઇ મહેતા , અજરામર સ્થાનકવાસી સંઘના મધુભાઇ ખંધાર, ડો.એસ.ટીહેમાણી, ડો.ચેતનભાઇ હિડોચા તેમજ શ્રમજીવી દેરાસરના પૂજા મંડળના કોકીલાબેન શાહ, પુત્રવધુ મંડળના સુકેશીબેન શાહ, જયાણામંડળના સોનલબેન શાહ તેમજ અન્ય રાજકોટના મંડળોના બહેનો ઉપસ્થિત રહીને યોગદાન આપેલુ હતુ.

(3:44 pm IST)