Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

વ્હોરા ધર્મગુરૂ જામનગર-રાજકોટની મુલાકાતે આવે એવી સંભાવના

જસદણ, તા. ર૦ : દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આગામી માસે જામનગરમાં વ્હોરા સમાજના ઓલીયા ઇસ્માઇલ બદરૂદ્દીન સાહેબનો ઉર્ષ મુબારક હોય એ અનુસંધાને જામનગરમાં પધરામણી કરે અને ત્યાર બાદ રાજકોટ આવે એવી સંભાવના જોવા મળી રહી છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર એવી કોઇ જાહેરાત ધર્મગુરૂ દ્વારા થઇ નથી, પણ જામનગર અને રાજકોટ વ્હોરા સમાજ દ્વારા સાફ સફાઇ, આમંત્રણ, પ્રાર્થના જેવી તૈયારીઓ થઇ રહી છે.  જામનગર વ્હોરા સમાજ તો ઔપચારિક વિધિ પછી બદરી મજાર રહેઠાણની સાફસફાઇમાં લાગી ગયો છે. જયારે રાજકોટ વ્હોરા સમાજ તો ગઇકાલે રવિવારે બસો ભરી સૈયદના સાહેબ રાજકોટ જામનગર બદરી મજાર પર ગયેલ.

સૂત્રોના જણાવ્યાનું સાર આગામી દિવસોમાં એમનો રાજકોટ જામનગરનો કાર્યક્રમ નક્કી શે. આજે સોમવારે સાંજે તેઓ શ્રીલંકાથી મુંબઇ પધારે છે ત્યારે વ્હોરા સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:42 am IST)