Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દશાશ્રીમાળી વોરા કુટુંબ મંડળ દ્વારા મુમુક્ષુ અંકીતાબેનનું સન્માન

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ.ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા.ના કૃપાપાત્ર રાષ્ટ્રસંત પૂ.નમ્રમુની મ.સા. પાસે તા.૪-૨ના રોજ દિક્ષા અંગીકાર કરવા જઈ રહેલા વોરા કુટુંબના મુમુક્ષુ અંકીતાબેન વોરા રાજકોટના આંગણે પધારેલ ત્યારે ન્યુએરા સ્કૂલ ખાતે વિદાય સમારોહ ભકિત સંગીત સમારંભમાં અંકીતાબેન વોરાને ચાંદીના શ્રીફળ તથા સન્માન પત્ર આપી વોરા કુટુંબ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સેક્રેટરી તથ મંડળના કારોબારી સભ્યો દ્વારા સન્માન કરાયેલ તેમ સેક્રેટરી અરવિંદ વોરાની યાદી જણાવે છે.

(2:33 pm IST)