Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

ટ્રેઝરરપદે અમિતભાઈ ભગતની બિનહરીફ વરણી

રાજકોટઃ બાર.એસો.ની ચુંટણી તા.૨૧મીએ યોજાયેલ છે. ત્યારે ચુંટણી પુર્વે જ ટ્રેઝરરની જગ્યા માટે હરિફ ઉમેદવાર મિહિરભાઈ દવેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા આ જગ્યા ઉપર અમિતભાઈ ભગત બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. પોતાના મિલનસાર સ્વભાવ અને સરળ વ્યકિત્વના કારણે અમિતભાઈ વકીલોમાં ખુબજ લોકપ્રિય  છે. બાર એસોમાં તેઓ બિનહરીફ ચુંટાઈ આવતા સીનીયર- જુનિયર વકીલો દ્વારા તેઓને અભિનંદન પાઠવેલ હતા.(૩૦.૯)

(3:57 pm IST)