Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આમ્રપાલી ફાટકે બ્રીજનું કામ શરૂ થતા સીટી બસના ૪ રૂટમાં ફેરફાર

રાજકોટ, તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના આમ્રપાલી ફાટક પાસે અન્ડરબ્રીજની કામગીરી ચાલુ હોવાથી રૈયા રોડ પરથી પસાર થતી સિટી બસ સેવાના રૂટ નં.૦૫ (રૈયા ગામ થી ત્રંબા ગામ), રૂટ નં.૦૭ (બજરંગવાડી સર્કલ થી ભકિતનગર સર્કલ), રૂટ નં.૨૨ (શાંતિનિકેતન એવન્યુ (રૈયા ગામ) થી માર્કેટીંગ યાર્ડ તથા રૂટ નં.૨૭ (ત્રિકોણબાગ થી રૈયાધાર) બસને કિશાનપરા ચોક થી કાલાવડ રોડ પર કોટેચા સર્કલ સુધી, ત્યારબાદ નિર્મલા કોન્વેન્ટ રોડ પરથી હનુમાનમઢી સુધી અને ત્યારબાદ રૈયા રોડ પર આગળની તરફ તેના નિયત રૂટ પર થઇ ચલાવવામાં આવશે તેમજ રીટર્નમાં તે જ રસ્તા પર થઇને ચલાવવામાં આવશે. આ રૂટ પર તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. 

બસ સ્ટોપ નિયત કરવામાં આવેલ છે. ૧. સ્વામિનારાયણ મંદિર(કાલાવડ રોડ)  ૨. કોટેચા ચોક, ૩. ફાયર બ્રિગેડ (નિર્મલા રોડ) ૪. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ.

(4:15 pm IST)