Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રાજકોટના ૩ સહિત ૬ મામલતદારની બદલીઃ બીનખેતીમાં તન્નાની નિમણુંક

રાજકોટ તા .૧૯ : રાજકોટ ૩ સહિત રાજ્યના કુલ ૬ મામલતદારોની બદલીના ઓર્ડરો થયા છે. રાજકોટ કલેકટરના ડીઝાસ્ટરના શ્રી સંઘવીને જામનગર તો પીઆરઓ આઇ.જી.ઝાલાને બીનખેતીમાથીં  જસદણ મામલતદાર તરીકે અને રાજકોટ કલેકટર કચેરીના પીઆરઓ એચ.સી. તન્નાને બીનખેતી મામલતદાર-રાજકોટ તરીકે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત વડીયા મામતલદારનો ઓર્ડર રદ્દ કરાયો છે., તો સુરેન્દ્રનગરના એડી. ચીટનીસ એલ.એન. ઘેલાણીનો ઓર્ડર પણ રદ્દ કરાયો છે અને મામલતદાર શ્રી એચ.કે. ગઢવીને નર્મદા કલેકટરમાં પીઆરઓ તરીકે નિમણુંક અપાઇ છે.

(3:41 pm IST)