Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ દ્વારા જલારામ જયંતિની ઉજવણી

રાજકોટ : પૂ. જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિની રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ દ્વારા ધામેધુમે ઉજવણી કરાઇ હતી. નાના ભુલકાઓ રામ, લક્ષ્મણ, જાનકી, જલારામપાબા, વીરબાઇમાં જેવા પાત્રોની વેશભુષા ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા. અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે રથયાત્રાના સામૈયા કરાયા હતા. બાદમાં ત્યાં મહાપ્રસાદનું આયોજન કરાયેલ. જેમાં ૮ હજારથી વધુ રઘુવંશી ભાવિક ભકતોએ લાભ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી તેમજ સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મનિષભાઇ રાડીયા, દિનેશભાઇ કારીયા, વિક્રમભાઇ પુજારા, અરૂણભાઇ નિર્મળ, અનીલબાપા તેમજ લોહાણા મહાજન કાર્યકારી પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, ઇન્દુબેન શીંગાળા, રીટાબેન કોટક, લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી, ઉપપ્રમુખ નીતિનભાઇ રાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પરેશભાઇ તન્ના, પ્રદીપભાઇ રાજવીર, ચેતનભાઇ તન્ના, યશવંતભાઇ જોબનપુત્રા, પ્રભુદાસભાઇ જોબનપુત્રા, ભરતભાઇ દતાણી, શશીભાઇ જોબનપુત્રા, જયભાઇ અમલાણી, રાકેશભાઇ અમલાણી, નીલેશભાઇ કોટક, પ્રણવભાઇ ઉનડકટ, બીપીનભાઇ પુજારા, નીલેશભાઇ રાયચુરા, મુન્નાભાઇ છાગાણી, ગૌતમભાઇ સોમૈયા, સુનિલભાઇ દાવડા, બીપીનભાઇ રાજાણી,  કીરીટભાઇ સાતા, નીરવભાઇ ગોકાણી, મિતેષભાઇ પુજારાએ જહેમત ઉઠાવી હતી.

(3:26 pm IST)