Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

બજરંગ મિત્ર મંડળ દ્વારા સારવાર કેમ્પ

 બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શેરીના અન્ય સાંધાના દુખાવા જેવા આજના યુવામાં ખુબજ ખર્ચાળ મનાતી ગોઠણ-સાંધાના દર્દોની સર્જરી કરાવ્યા વગર ફકત હોમીઓપેથીક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગ રૂપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ વિવેકાનંદ સેવા સમિતિ વાળા જે.ડી. ઉપાધ્યાયના હસ્તે થયો હોત. અતિતિ વિશેષ તરીકે ધીરૂભાઇ કોટક, ટ્રસ્ટના મંત્રી કે.ડી. કારિઆ, ટ્રસ્ટીઓ સર્વશ્રી ધૈર્યભાઇ રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ, રોહિતભાઇ કારિઆ તથા સેવકો મનુભાઇ ટાંક, ચિરાગભાઇ ધામેચા બી.એલ. મહેતા તેમજ કામનાથ મહાદેવ મંદિરના સંચાલક પ્રિયવદનભાઇ કક્કડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં હોમીઓપેથી અને એકયુપ્રેસરની મળી કુલ પર જેટલા દર્દીઓને લાભ લીધો હતો. આ સાથે યોજાયેલ એકયુપ્રેસર સારવાર કેમ્પમાં જાણીતા થેરાપીસ્ટ દિનકરભાઇ રાજદેવ, પ્રવીણભાઇ ગેરિયા, અરજણભાઇ પટેલ, શબ્બીરભાઇ ભારમલ, રત્નાબેન મહેશ્વરી વગેરે દ્વારા તમામ દર્દીઓને સેવા સારવાર આપવામાં આવેલ. દર મહિનાના પહેલા બધુવારે કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા કામનાથ ચોક, દરબાર ગઢની બાજુમાં સવારે ૮-૩૦ થી ૯-૩૦ દરમ્યાન યોજાયેલ કેમ્પમાં હોમીઓપેથીક નિષ્ણાંત તરીકે ો. એન. જે. મેઘાણી દ્વારા નિદાન કરી તમામ દર્દીઓને બે માસની દવા વિનામૂલ્યે આપવામાં આવેલ.

(4:22 pm IST)