Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મનહરપુરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાગર ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. ૧૯ : જામનગર રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી મનહરપુરનો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા છ દિવસ પહેલા પોતાના ઘરે હતી ત્યારે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી તપાસ દરમ્યાન મનહરપુર ઢોળા ઉપર રહેતો સાગર સોલંકી પોતાના ઘરે હાજર ન હોઇ તેથી સાગર સોલંકી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હવાની પરિવારજનોએ શંકા વ્યકત કરી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ.જે. બરવાડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)