Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જમીન-મકાનના ધંધાર્થીની ધરપકડ કરવા કોર્ટનું વોરંટ

રાજકોટ તા.૧૯: રાજકોટના જમીન-મકાન દલાલ જયેશ પુજારા પર બીન જામીન લાયક ધરપકડનું વોરંટ કાઢવાનો અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટમા શ્યામલ વર્ટીકલ ફલેટ નં.૬૦૪, સાધુવાસવાણી રોડ પર રહેતા અને જમીન-મકાનની દલાલીનો ધંધો કરતા જયેશ શાંતિલાલ પુજારાને ચેક રીટર્નના કેસમાં રૂ.૧,૦૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખનો દંડ તથા એક વર્ષની કેદની સજાનો હુકમ થયેલ. જેમાં જયેશ શાંતિલાલ પુજારા કોર્ટમાં હાજર ન થતા તેની સામે બીન જામીનલાયક વોરંટ અદાલતે કાઢેલ છે. આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી આશુતોષભાઇ એસ.જોષી રોકાયેલ હતા.

(3:42 pm IST)