Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકોટના સમસ્ત સ્થા. જૈન સંઘો દ્વારા કાલે દીક્ષાર્થી પલકબેનનો સન્માન સમારોહઃ શોભાયાત્રા

રાજકોટ, તા. ૧૯ :. શ્રી વિરાણી પૌષધ શાળા, પેલેસ રોડ ખાતે બૃહદ રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોના ઉપક્રમે પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના વરદ હસ્તે શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મ.સ.ના પરિવારમાં મુંબઈ-ઘાટકોપરમાં દીક્ષા અંગીકાર કરનાર દીક્ષાર્થી કુ. પલકબેન દોશીનો સન્માન સમારોહ કાલે તા. ૨૦ને રવિવારે સવારે ૮ કલાકે યોજાયેલ છે.

દીક્ષાર્થીની શોભાયાત્રા સર્યૂબેન કાંતિલાલ વિરાણી પ્રેરિત જૈનાચાર્ય પૂ. જશાજીસ્વામી ચોક (કરણપરા ચોક)થી સવારે ૭.૩૦ કલાકે પ્રારંભ થશે.

વિરાણી પૌષધશાળા ખાતે પૂ. સુશાંતમુનિજી તથા પૂ. હીરાબાઈ મ.સ., પૂ. વનિતાબાઈ મ.સ., પૂ. ભાનુબાઈ મ.સ., પૂ. પ્રભાબાઈ મ.સ., પૂ. વિજયાબાઈ મ.સ., પૂ. જય-વિજય મ.સ. પરિવાર, અજરામર પરિવાર તથા સમસ્ત સંઘોના ભાવિકોની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમને સફળ બનાવવા ઈશ્વરભાઈ દોશી, પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ તેમજ મોટા સંઘની કમિટી, અન્ય સંઘોના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છ

(3:38 pm IST)