Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પુરમાં મૃત્યુ થયાના અઢી માસ થવા છતાં સહાય નહિં મળતા કારોબારીમાં ઠરાવ

ત્રણ મૃતકોના પરિવાર માટે પ્રશ્ન ઉઠાવતા ભાનુબેન ધીરૂભાઇ તળપદા

રાજકોટ તા. ૧૯: જિલ્લા પંચાયતની આજે મળેલ કારોબારી બેઠક ગણતરીની મીનીટોમાં પૂર્ણ થઇ ગયેલ. બેઠકનું અધ્યક્ષ સ્થાન સમિતિના અધ્યક્ષ કે. પી. પાદરિયાએ સંભાળેલ. ડી.ડી.ઓ.ની ગેરહાજરીમાં સભ્ય સચિવ તરીકે ડે. ડી.ડી.ઓ. રામદેવસિંહ ગોહિલે કામગીરી કરી હતી.

પડધરી તાલુકામાં ગઇ તા. ૬ જુલાઇએ ભારે વરસાદી પુરમાં રામપર નજીક રાજેન્દ્રસિંહ તથા બબુભા અને સંજયભાઇ નામની વ્યકિત તણાઇ જતા મૃત્યુ પામેલ. તેમને હજુ઼ સુધી મળવાપાત્ર સહાય ન મળતા કારોબારી સભ્ય ભાનુબેન ધીરૂભાઇ તળપદાએ કારોબારીમાં પ્રશ્ન ઉઠાવેલ અને ત્વરિત સહાય ચૂકવવા ઠરાવ કરાવેલ હતો. ઉપરાંત બાંદરા ગ્રામ પંચાયતે પંચાયતની સતત ૪ બેઠકમાં ગેરહાજરી બદલ સગુણાબેન પાડલિયાને ગેરલાયક ઠેરવવા માટે કરેલ ઠરાવ કારોબારીએ રદ કર્યો હતો.

(2:31 pm IST)