Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સદ્દગુરૂ આશ્રમે પાઠની પુર્ણાહુતિ પ્રસંગે હોમાત્મક યજ્ઞ

 પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ભાદરવા માસમાં નવલાખ શ્રી હનુમાન ચાલીસા પાઠના મહાસંકલ્પમાં અનેક ધર્મપ્રેમી ભાઇ બહેનોએ ભાગ લઇ ૧૩,૪૧,૦૦૦ શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યા હતા. આ પાઠની પૂર્ણાહુતિ નિમિતે હોમાત્મક યજ્ઞ કરવામાં આવતા યજમાન તરીકે મોરબીના જગદીશભાઇ પુજારા અને તેમના ધર્મપત્નિ હંસાબેન જગદીશભાઇ પુજારાએ લાભ લીધો હતો. જેઓએ સૌથી વધારે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તેમની સાથે બીપીનભાઇ પુજારા, પ્રિતિબેન પુજારા, પ્રાર્થનાબેન પુજારા, વરૂણભાઇ પુજારા, જસુમતીબેન ચુનીલાલ પુજારા, અવનીબેન પુજારા, હેમાલીબેન પુજારા વગેરે પણ જોડાયા હતા. સર્વ લોકો સ્વસ્થ રહે, સુખી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(2:29 pm IST)