Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મજબુરી મહાનગર પાલીકાને પણ હોય?ટીપરવાનમાં સ્ટાફની ગેરકાયદે હેરાફેરી

રાજકોટઃ નવા આર.ટી.ઓ. નિયમનો કડક રીતે સામાન્ય નાગરિકો સામે અમલ થઇ રહ્યો છે. પરંતુ મજબુરીવસ નાગરિકોને બાળકો સાથે ટ્રીપલ સવારી મુસાફરી કરવી પડતી હોય છે. આ સામાન્ય છે. પરંતુ ખુદ મહાનગરપાલીકાનાં તંત્ર વાહકોને પણ આવી મજબુરી પડતી હોય છે તે આ તસ્વીરમાં સ્પષ્ટ દર્શાય છે કેમકે કચરો એકરીત કરવાનાં હેતુવાળા વાહનનો પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવાની તંત્રને ફરજ પડી હતી. રૈયા રોડ ઉપર પસાર થતી આ ટીપરવાનમાં સ્ટાફની ગેરકાયદે રીતે હેરાફેરી થતી હોવાની ઘટનાને એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી હતી.

(3:37 pm IST)