Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજ્યના વધુ ૨૪ પોલીસ ઇન્સ્પેકટર અને ૭ પીએસઆઇની બદલીના હુકમ

રાજકોટ તા. ૧૯: રાજ્યના વધુ ૨૪ પોલીસ ઇન્સ્પેકટર અને ૭ પીએસઆઇની બદલીના હુકમો થયા છે.

જે પોલીસ ઈન્સપેકટરની બદલી થઇ છે તેમાં ગાંધીનગરથી એન. આર. પટેલ, પ.રે. અમદાવાદથી વી.એ. જયસ્વાલ, દેવભુમિ દ્વારકાથી પી.ડી. સોલંકી અને પંચમહાલથી જી.એન. વાઘેલાથી બદલી થઇ છે. આ ચારેયને અનુક્રમે જુનાગઢ પીટીસી, અમદાવાદ શહરે અને અમરેલી મુકવામાં આવ્યા છે. પી.ડી. સોલંકી મુળ રાજકોટના છે અને રાજકોટમાંે પ્રસંશનીય કામગીરી કરી હતી.

અન્ય પીઆઇમાં ગાંધીનગરના વી.ડી. મહિડાને ખેડા-નડિયાદ, વડોદરા પીટીસીના બી.આર. ડાંગીને પ.રે. વડોદરા, ગાંધીનગરના આઇ. જી. વસાવાને તાપી-વ્યારા અને મહિસાગરના વી. સી. સોલંકીને ગાંધીનગર તેમજ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલના એ.ડી. સુથારને સરહદી વિભાગ રીડર, વડોદરા શહેરના એસ. બી. નિનામાને ગાંધીનગર અને એમ. એ. બહેલીંગને ગાંધીનગર સીઆઇડી તથા વડોદરા શહેરના ડી. પી. ચોૈહાણને આણંદ, સુરતના શ્રીમતિ પી.એચ. લગધીરકાને કચ્છ-પશ્ચિમ ભુજ તથા સાબરકાંઠાના કે.આર. બોરીયાવાને વડોદરા શહેરમાં મુકાયા છે.

આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના એમ.એમ. રાજ્યગુરૂને સોરઠ એસઆરપી, નવસારીના જી.આર. રબારીને અમરેલી, ગાંધીનગરના એમ.એન. તડવીને નર્મદા, ભાવનગરના કે.એમ. રાવલને અમદાવાદ શહેર, વલસાડના એ.એન. ગાબાણીને પીટીસી જુનાગઢ, ગાંધીનગરના ટી.એલ. વાઘેલાને જામનગર, અમદાવાદ એસીબીના એન. કે. વ્યાસને વડોદરા, એમ.ડી. ઝાલાને વડોદરા અને એન.એચ. જાડેજાને અમદાવાદ શહેર ખાતે મુકવામાં આવ્યા છે.

જેમાં અમદાવાદ શહેરના પી.એસ.આઇ. સી.એમ. કાંટેલીયા, વડોદરા ગ્રામ્યના બી.એચ. ઝાલા, સીઆઇડી ગાંધીનગરના એન. કે. ચોૈધરી, ભાવનગરના વી.સી. રંગપડીયા, મોરબીના જે. બી.  ધનેશા, પંચમહાલના વી. સી. જાડેજા, કચ્છ-પશ્ચિમ ભુજના આર. જે. જાડેજાની બદલીના હુકમો થયા છે. આર. જે. (રાજદિપસિંહ) અગાઉ રાજકોટ સીટીમાં પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. તેમને સુરેન્દ્રનગર મુકવામાં આવ્યા છે. 

(1:16 pm IST)