Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

'વસુંધરા કા રાજા'માં આજે છપ્પન ભોગના દર્શન

રાજકોટ : એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં ''વસુંધરા કા રાજા''માં આજે છપ્પન ભોગના દર્શનનું આયોજન થઈ રહેલ છે. અહિંના વસુંધરા રેસીડેન્સીના તમામ બહેનોએ પોતાનું યોગદાન આપેલ છે. ગઈકાલે ૧૦૦૮ ચોખા તથા ૧૦૮ દુર્વા ગણેશજીને દરેક સોસાયટીના સભ્યોએ પૂજા કરેલ હતી. વસુંધરા રેસીડેન્સીમાં થઈ રહેલ આયોજનમાં રેસીડેન્સીના દરેક બાળકો કંથ દવે, જશ સખીયા,સૂજલ વ્યાસ, વલ્લભ દુધાત્રા, ધ્રુવ માંડવીયા, રૂદ્ર ડોડીયા, રાઘવ ઝાલા, વત્સલ મણીયાર, ભગીરથ કારીયા, ધ્યેય પૂજારા, પાર્થ મોદી, બંસી કોટક, કાવ્યા ચૌહાણ, એન્જલ માંડવીયા, દિવ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૯)

(3:45 pm IST)